सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ જાદુ-ટોણા ખરેખર લોકોના જીવ લઇ રહ્યું છે.

ગુજરાતમાં તો વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર થઇ ગયું છે, જુઓ કેટલુ અસરકારક સાબીત થયું.

Jashu Bhai Solanki
  • Oct 5 2024 11:35AM

વર્ષ 2022માં 85 લોકોના જાદુ-ટોણાને કારણે જીવ ગયા જ્યારે વર્ષ 2021માં આ આંકડો 68 હતો, એક રિપોર્ટ અનુસાર વર્ષ 2013થી 2022 સુધી જાદુ-ટોણાને કારણે કુલ 1064 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાત વિધાન સભામાં સર્વાનુમતે અંધશ્રદ્ધા વિરોધી બિલ પણ પસાર થઇ ગયું છે, બિલ લાવવાનું મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાના કારણે ફૂલી-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે. સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે.

તાજેતરમાં યુપીના હાથરસથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં કાળા જાદુને કારણે એક 11 વર્ષના બાળકનું મૃત્યુ થયું. ચાલો આપને એના વિશે વિસ્તારથી જણાવીએ. આની સાથે જ આપને એ પણ જણાવીએ કે આખરે દેશમાં કાળા જાદુ અથવા જાદુ ટોણા ને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે.

હાથરસની ઘટના
એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુપીના હાથરસની DL પબ્લિક સ્કૂલમાં એક 11 વર્ષના બાળકનો મૃતદેહ સ્કૂલ મેનેજરની કારમાં મળ્યો. પોલીસે બાળકની હત્યાના આરોપમાં સ્કૂલ મેનેજર દિનેશ બઘેલ અને તેના પિતા યશોદન સહિત પાંચ લોકોની ધરપકડ કરી. હવે આ કેસમાં એ વાત સામે આવી રહી છે કે સ્કૂલ મેનેજરનો પિતા યશોદન તાંત્રિક ક્રિયા કરતો હતો અને તેણે સ્કૂલની પ્રગતિ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટે બાળકની બલિ આપવાનો નિર્ણય લીધો હતો.

માનવ બલિ પર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા
ચાલો હવે આપને જણાવીએ કે આખરે આખા દેશમાં એવા કેટલા કિસ્સાઓ છે જેમાં જાદુ ટોણા ને કારણે માનવ બલિ અપાઈ. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ અનુસાર, વર્ષ 2022માં દેશમાં માનવ બલિના કુલ 8 કિસ્સાઓ સામે આવ્યા હતા. જો વર્ષ 2014થી 2022ના આંકડાઓ પર નજર નાખીએ તો આ સંખ્યા 111 સુધી પહોંચી જાય છે. આ તો એ સંખ્યા થઈ જેમાં માનવ બલિ અપાઈ. પરંતુ, ઘણા કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં જાદુ ટોણાની શંકામાં લોકોને મારી નાખવામાં આવે છે.

જુઓ ક્યા સ્થળે ઘટના બની છે.

 નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જણાવે છે કે વર્ષ 2022માં 85 લોકોનો જીવ જાદુ ટોણા ને કારણે ગયો હતો. જ્યારે, વર્ષ 2021માં આ સંખ્યા 68 હતી. DWના રિપોર્ટ અનુસાર, વર્ષ 2013થી 2022 સુધી જાદુ ટોણા ને કારણે કુલ 1064 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ કિસ્સાઓમાં સૌથી મોટી સંખ્યા એ મહિલાઓની છે જેમને ડાકણ કહીને મારી નાખવામાં આવી. આપને જણાવી દઈએ કે છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં મહિલાઓને ડાકણ કહીને મારી નાખવાની ઘટનાઓ સૌથી વધારે જોવા મળી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार