દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, તેઓ AAP ધારાસભ્ય દળના નેતા પણ ચૂંટાયા છે. AAP નેતા ગોલાપાલ રાયે પોતે આ માહિતી આપી છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળશે, આતિશીના નામને વિધાયક દળની બેઠકમાં બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે AAPના નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, "આતિશી આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેશે. આ જવાબદારી તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં આપવામાં આવી છે. અમે જનતાની અદાલતમાં જઈશું. ભાજપ ઈચ્છતી હતી કે કેજરીવાલ જેલમાં રાજીનામું આપે. જ્યાં સુધી જનતા કેજરીવાલને સીએમ નહીં બનાવે ત્યાં સુધી આતિશી દિલ્હીના સીએમ રહેશે. આતિશીને મુખ્યત્વે બે જવાબદારીઓ સોંપવામાં આવી છે. તે ભાજપ સામે લડવાનું ચાલુ રાખશે. દિલ્હીના વિકાસ માટે પણ કામ કરવાનું ચાલુ રાખશે."
આ કારણોસર આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે એક મહિલા ચહેરો છે અને તેની શૈક્ષણિક લાયકાત પણ સારી છે. જ્યારે સીએમ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમણે દિલ્હીને સારી રીતે સંભાળ્યું હતું. જ્યારે મનીષ સિસોદિયા જેલમાં હતા ત્યારે આતિશીએ શિક્ષણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. આ સિવાય તે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે દિલ્હીના વિકાસ કાર્યોને આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે.
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ આતિશી વર્તમાન સમયમાં ભારતની બીજી મહિલા મુખ્યમંત્રી બની છે. આ સાથે તે દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે.