વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજુરી આપી બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે.
વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રીપોર્ટની સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે સંપુર્ણ ચર્ચા કર્યા બાદ 191 દિવસના વિશ્લેષણ બાદ નિર્ણય લેવામાં આવ્યો. 2029 સુધીમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે છે.
એક સાથે ચૂંટણીનો શુ ફાયદો થશે ?
-ચૂંટણી દરમિયાન થતા ખર્ચમાં બચત
-દેશમાં ચાલી રહેલી સતત ચૂંટણીથી છુટકારો
-લોકોને સતત આચારસંહિતાથી છુટકારો
વન નેશન વન ઇલેકશનમાં પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતીએ આ મુદ્દે કુલ 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો. તે પૈકી પ્રતિક્રિયા આપનાર 47 રોજકિય પક્ષોમાથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરવાના મુદ્દાને સમર્થન આપ્યુ હતું. જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો.