નવસારીમાં વધુ એક વખત માનવતાની મિસાલ મ્હેકી
એપેન્ડિક્સથી પીડાતા ગરીબ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી જીવ બચાવાયો
નવસારીને દાનની નગરી તરીકે ઓળખવામાં આવે છે. નવસારીજનો હંમેશા દાન તથા સેવાકાર્ય માટે તત્પર રહે છે આ યુક્તિ ફરી એકવાર સાર્થક બની છે.
નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય ક્રિશ વિનોદ પાટીલને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે ટંકનું ભોજન રળી શકે છે.
આ પરિસ્થિતિમાં નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ શામવાનીએ બાળકને પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. ત્યાં RMO ડૉ. લાલા ચૌધરીએ માનવતા દાખવી માત્ર એક કલાકમાં બાળકનું આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું.
ડૉ. ચૌધરીએ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં મદદ કરી. આ સફળ ઓપરેશન બાદ બાળક મોતના મુખમાંથી બહાર આવ્યો. આમ, નવસારી શહેરના સેવાભાવી યુવાનોએ સમયસૂચકતા દાખવી એક નિર્દોષ બાળકનો જીવ બચાવી માનવતાની મિસાલ કાયમ કરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प