ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા થયું ભાવ અભિવાદન
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું.
શ્રાવણ માસનાં પવિત્ર દિવસમાં ધનાભગત જગ્યા ધોળામાં મોરારિબાપુનાં હસ્તે ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત થયું છે. અહીંયા ભગવત સ્મરણ અનુષ્ઠાન માટે જગ્યા દ્વારા આ ધ્યાન કુટીરનું નિર્માણ થનાર છે.
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા અને તેમનાં ભજનનો સાનંદ ઉલ્લેખ શ્રી મોરારિબાપુ રામકથા દરમિયાન કરતાં રહે છે.
આજનાં ખાત મુહુર્ત પ્રસંગે મહંત બાબુરામજી મહારાજ અને જગ્યાનાં સેવકો દ્વારા મોરારિબાપુનું ભાવ અભિવાદન થયું હતું. સંસ્થાનાં પ્રમુખ ગણેશભાઈ ખૂંટ, ભરત મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા સંકલન રહ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प