નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો
અકસ્માત કેવી રીતે થયો અને કાર કેનલમાં કેવી રીતે પડી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
નડિયાદ શહેરમાં પીપલગ પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે કાર ખાબકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતા તેઓએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી, જેમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના પીપલગ પાસે વહેલી સવારે બનેલી ઘટના એ સૌ કોઈને દોડતા કરી દીધા. ઘટના કઈ કેવી હતી કે વહેલી આણંદના નરેન્દ્રકુમાર હિંમતલાલ પોતાની કાર લઇ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેઓની કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના પર પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જોકે કેનાલના ધસ મસતા પ્રવાહમાં કાર અંદર ડૂબી ગઈ હોય બે કલાકની જેમ જ બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી નરેન્દ્રકુમાર હિંમતલાલ નો મૃતદે મળી આવ્યો હતો. જેમની પાસેથી મળી આવેલ ઓળખ પત્ર પરથી તેમની ઓળખ થઈ હતી. અકસ્માત કેવી રીતે થયો અને કાર કેનલમાં કેવી રીતે પડી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प