सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત

ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.

હિતેન્દ્રસિંહ રાઠોડ
  • Sep 10 2024 7:10PM

ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જઈ રહેલ છે.તેવામાં રોડ પર વાહનોની અવર જવર થી અકસ્માત થવાની સંભાવનાઓ રહેતી હોય છે.

ત્યારે આજે વહેલી સવારે મોડાસા નજીક આવેલા સાકરીયા કંપા નજીક પૂર ઝડપે આવતા પશુભરેલા જીપડાલાએ સંજેલીના ત્રણ પદયાત્રીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના પગલે રોડ પર અફડા તફડી મચી જવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પદયાત્રીઓને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જીપડાલાએ સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં જીપડાલુ પલ્ટી મારી ગયું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार