सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય - અરુણભાઈ દવે

લોકભારતી સણોસરામાં યોજાઈ કાર્યશાળા

મૂકેશ પંડિત
  • Aug 1 2024 4:25PM
ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં વડા લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ અરુણભાઈ દવેએ વૈશ્વિક સંદર્ભો સાથે માનવજીવન અને કેળવણી સંદર્ભે જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે. આ શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યો સાથે આપણે જાત સાથે કામ કરવાનું છે. માત્ર પ્રવચનો નહિ, આપણે આપણી રીતે તૈયાર સજાગ રહેવું એ જ નઈ તાલીમ.

સંઘનાં વડા રાજેન્દ્રભાઈ ખિમાણીએ નઈ તાલીમ સંસ્થાઓ અને સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે આંતરિક સુમેળ દ્વારા કેળવણી માટે વાત કરી. 

ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં એક દિવસીય કાર્યશાળામાં પાર્થેશભાઈ પંડ્યા અને સંજયભાઈ કાંત્રોડિયા તથા જશવંતભાઈ કાકડિયા અને સંઘ હોદ્દેદારો દ્વારા સંઘનાં હેતુઓ મુજબ નઈ તાલીમ સંસ્થા માપદંડ તેમજ આગામી દિશા વગેરે બાબતે સુંદર જૂથ ચર્ચા બેઠક આયોજન થયું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार