રાજકોટ ના ડાયરાના કલાકાર મનસુખ રાઠોડ વિસાવદરના એક કાર્યક્રમમાં દેવીપૂજકના આરાધ્ય દેવી માતાજી વિશે અશ્લીલ શબ્દો નો પ્રયોગ કરવામાં આવ્યો હતો , જેને લઈને સમગ્ર દેવીપૂજક સમાજની લાગણી દુભાઈ હતી .
મનસુખ રાઠોડ દ્વારા અભદ્ર વાણી વિલાસ દ્વારા કોમી શાંતિ અને વર્ગ વગ્રહ કરવામાં પ્રયાસ ને લઈને ભાવનગર વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને મનસુખ રાઠોડ ઉપર કાયદા અનુસાર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી .