सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ - મૈથિલીશરણજી મહારાજ

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાં

મૂકેશ પંડિત
  • Aug 10 2024 6:47PM
મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં મૈથિલીશરણજી મહારાજનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ છે.

તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં યોજાયેલ તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં કથાકાર વકતાઓનાં ઉદ્બોધન લાભ મળ્યો છે. આ સંગોષ્ઠીમાં ઋષિકેશનાં મૈથિલીશરણજી મહારાજે તત્વ દર્શન સાથે સંતોષનું મહાત્મ્ય રજૂ કર્યું. તેઓએ કહ્યું કે બધું ભેગુ કરે તે અને વધુ ત્યાગ કરે તેને આપણે મહાન ગણીએ છીએ, તેમાં અતિરેકભાવ છે. ભક્તિ માટે ખરેખર શું જરૂરી.? ત્યાગ કે સંગ્રહ નહિ, સંતોષ એ જ ભક્તિનું પ્રમાણ રહેલું છે. સર્વશ્રેષ્ઠમાં પણ અહંકારભાવ છે, જ્યારે શ્રેષ્ઠ હોવું તે તૃપ્તિભાવ છે.

વૃંદાવનનાં ગૌરદાસજી દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે સુંદર ગાન સાથે મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ.

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેનાં પ્રારંભિક સંકલન સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યાં.

સવારનાં સત્રમાં યશોમતીજીનાં સંચાલન સાથે વિવિધ કથાકાર વક્તાઓમાં ગોવિંદદેવજી (ઉજ્જૈન), અનિતાદેવીજી (હમીરપુર), સંતરામકુમારદાસજી (અયોધ્યા), વંદના શાસ્ત્રીજી (દેવરિયા), સંતદાસજી (બરસાના) તથા અંજનીશરણ ગોસ્વામી (ભોપાલ) દ્વારા તુલસી સાહિત્ય તથા સંદર્ભ પ્રસંગ નિરૂપણ થયેલ. આ ઉપરાંત વક્તાઓએ પણ પોતાનાં ભાવ વ્યક્ત કરેલ.

મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ પ્રસંગે રવિવારે સન્માનિત કથાકાર વક્તાઓ દ્વારા બીજા સત્રમાં ઉદ્બોધન ઉપક્રમ યોજાયેલ. આ સત્ર સંચાલનમાં ઝાંસીનાં શશીશેખરજી રહ્યાં.

તુલસી જન્મોત્સવ પ્રસંગે વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ થનાર છે, આ સન્માનમાં રામાનંદદાસજી મહારાજ (અયોધ્યા), સ્વામી રત્નેશજી મહારાજ (અયોધ્યા), યદુનાથજી મહારાજ (અમદાવાદ), પંડિત ગજાનન શેવડેજી (મુંબઈ), પાર્શ્વગાયક મૂકેશજી વતી નીતિનજી (મુંબઈ), અખિલેશ ઉપાધ્યાયજી (જમનિયા) અને હિરામણી માનસ ભારતી (વારાણસી)નો સમાવેશ થાય છે, જેમાંનાં વક્તાઓએ સુંદર પ્રાસંગિક વ્યાખ્યાન વક્તવ્યો આપ્યાં. 

મહુવામાં શ્રાવણનાં વરસાદી સરવડાં સાથે મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્યની સંવેદનાનાં છાંટણાંનો લાભ મળ્યો છે, જેમાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार