શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી ના ભાગ રૂપે ભગવાન ના નવીન બનાવેલ સુંદર અને કલાત્મક રથ માં ઠાકોરજી ને પૂજારી દ્વારા બિરાજમાન કરી રથ ને વાજતે ગાજતે મંદિર પરિસર મા ફેરવીને ભક્તો ને ભગવાન ના દર્શન કરાવ્યા. ભક્તોએ પર્વ ની ઉજવણી કરી ધન્યતા અનુભવી.
રથયાત્રા ની ઉજવણી માં મંદિર ના ટ્રસ્ટી ચેરમેન, મેનેજર કર્મચારી ગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો એ ભાગ લઇ આ રથયાત્રા સુંદર આયોજન કરેલ હતું.