સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવતા કાયદામાં કેટલીક ખામીઓ છે. અદાલતે ટિપ્પણી કરી હતી કે બાલ વિવાહથી જીવન સાથીને પસંદ કરવાનો વિકલ્પ છીનવાઈ જાય છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બાળ લગ્ન નિવારણ કાયદાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદાના અસરકારક અમલીકરણ માટે અનેક માર્ગદર્શિકા બહાર પાડી હતી. SCએ કહ્યું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 2006 તમામ વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવતા કાયદામાં કેટલીક ખામીઓ છે. ઉપરાંત, એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે બાળ લગ્ન જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છીનવી લે છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધક વ્યક્તિગત કાયદાઓ દ્વારા અટકાવી શકાય નહી. બાળકો માટે પસંદગીના જીવન સાથી શોધવામાં પોતાની સ્વતંત્રતાનુ ઉલ્લંઘન થાય છે.
બેન્ચે કહ્યું કે અધિકારીઓએ અપરાધીઓને સજા આપતી વખતે બાળ લગ્ન અટકાવવા અને સગીરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે બાળ લગ્ન નિષેધ કાયદો 2006 થી બાળ લગ્ન રોકવા અને સમાજમાંથી તેને નાબૂદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.