દેશની રાજધાની દિલ્હીને આજે મળશે નવા મુખ્યમંત્રી. દિલ્હીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા પછી પોતાના પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કર હતી. આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં દિલ્હીના નવા મુંખ્યમંત્રીની ઘોષણા થશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજીનામું આપી શકે છે. અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.
આગામી સી.એમ. પદ માટે આમ આદમી પાર્ટીના નેતાઓના નામ આગળ મૂકવામાં આવ્યા છે, દિલ્હીના આગામી મુખ્યમંત્રી માટે જે નેતાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે આતિશી, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાય. આ તમામ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહ્યા છે.
પરંતુ સૌરભ ભારદ્વાજ દ્વારા એક મહત્વપુર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે તે પોતે સીએમ પદની રેસમાં નથી'- સૌરભ ભારદ્વાજ દિલ્હીમાં AAP સરકારમાં મંત્રી છે. "અમારા એક સાથી મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રીના પદ પર કોણ બેસશે તે અંગે કોઈ પ્રશ્ન નથી. અમે ઇચ્છીએ છીએ કે જલદી ચૂંટણી થાય, મારા નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ હું રેસમાં નથી.