सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટેની બનતી પાઇપ લાઈનમાં ભ્રસ્ટાચારની ગંધ

નવી જ બનાવેલ કાંસમાં નાખેલ છે તૂટેલું ભૂંગળું ઉપરાંત ભૂંગળાનો ઢાળ એવો ખોટો કે નિશાળના છોકરાને પણ ખબર પડી જાય

ધનંજય શુક્લ
  • Jun 29 2024 1:02PM
આણંદ જિલ્લાનું તાલુકા મથક છેલ્લા લાંબા સમયથી ગામની ફરતે રહેલ ખુલ્લી કાંસના ખોટા ઢાળ અને તેમાં ભરાઈ રહેતી દુષિત ગટરની ગંદકી માટે ચર્ચામાં છે. તેવામાં ગામની અંદર બની રહેલ વરસાદી પાણીના નિકાલ માટેની થઇ રહેલ વ્યવસ્થાની ગેરવ્યાજબી પદ્ધતિથી ફરી ઉમરેઠના નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરથી સ્ટાર બેકરી સુધી ખોદકામ કરીને આરસીસી ભૂંગળા નંખાઈ રહ્યા છે. આ ભૂંગળામાં આગળથી આવતું વરસાદી પાણી જૂની બનાવેલ કાંસમાં વાળી દેવાનું નક્કી કરાયું છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ કામ ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટે કરેલ જરૂરી કામ જ છે, પણ આમાં તિરાડો પડી ગયેલ ધારો તૂટી ગયેલ ભૂંગળું નાખવું કેટલું યોગ્ય ? આવા તૂટેલ ભૂંગળાનું આયુષ્ય કેટલું રહેશે તે પણ ચિંતાનો વિષય છે. આટલુ તો ઠીક પણ જે જૂની કાંસમાં આ ભૂંગળા જોઈન કરવાનું છે તેના લેવલ બરાબર આ ભૂંગળાનું લેવલ છે જ નહી. તો તૂટેલા ભૂંગળા દ્વારા લેવલ વગર બનાવેલ વરસાદી પાણીની કાંસ કેટલી ઉપીયોગી નિવાડશે એ ચિંતાનો વિષય. નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જોડે આ કામના કોન્ટ્રાક્ટરનું નામ માંગતા ગોળ ગોળ જવાબ મળ્યા પણ કોન્ટ્રાક્ટર કે એજન્સીનું નામ ના મળ્યું. વિશેષ પૂછતાં નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ જિલ્લાના અલગ અલગ સરકારી વિભાગનું નામ આપી છટકબારી શોધી રહ્યા છે.

ઉમરેઠના નગરજનો હતાશામાં આવીને વિચારી રહી છે કે નગરપાલિકા દ્વારા થતા પ્રજાલક્ષી કામમાં આવી ખુલ્લેઆમ થતી ગેરરીતિ અને ભ્રસ્ટાચાર ક્યાં સુધી મૂંગા મોઢે સહન કરવો ?

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार