હિન્દુ ધર્મમાં કરવા ચોથના તહેવારનું ખુબ જ મહત્વ છે. તેમજ ધામધુમથી ઉજવવામાં આવે છે. કરવા ચોથના દિવસે પરણિત મહિલાઓ પોતાના પતી માટે નિર્જળા વ્રત રાખે છે. કરવા ચોથનો દિસવ ચંદ્રદેવને અર્પણ કરવામાં આવે છે.
કરવા ચોથના તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તીથીના રોજ આવે છે. આ પરણિત મહિલાઓનો તહોલાર છે. કરવા ચોથના દિવસે મહિલાઓ પોતાના પતી માટે લાંબા આયુની કામના કરે છે. તેમજ સુખી દામ્પત્ય માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. સાંજે ચંદ્ર દેવની પૂજા કર્યા બાદ મહિલાઓ પોતાના ઉપવાસ તોડે છે. આ દિવસે દરેક સ્ત્રી ચંદ્રને જોવા માટે અતુર રહે છે. રાત્રે ચંદ્ર દેખાતા જ મહિલાઓ પોતાના પતીના ચહેરાને ચાળણી દ્વારા જોઇને ઉપવાસ તોડે છે.
કરવા ચોથનો શુભ સમય
આ વર્ષે કરવા ચોથનો તહેવાર 20 ઓક્ટોબર 2024 ના રોજ છે. આ દિવસે શુભ યોગ સાંજે 5.46 કલાકે શરુ થશે અને સાંજે 7.02 કલાકે સમાપ્ત થશે. કરવા ચોથમાં પૂજા દરનિયાન ચંદ્રદેવને અર્ધ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં સાંજે 7.58 મીનિટે ચંદ્રોદય થશે. આ પછી ચંદ્રને અર્ધ અર્પણ કરી શકાશે.
કરવા ચોથનો શુભ યોગ
આ વખતે કરવા ચોથના દિવસે કોટલાક શુભ યોગ પણ આવી રહ્યો છે. જે પરણિત મહિલીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. જ્યોતિષીઓના મત મુજબ આ વખતે બુધાદિત્ય યોગ, માસપ્તક યોગ, ગજકેસરી રાજયોગ અને શશ રાજયોગની રચના કરવા ચોથના દિવસે થવાની છે. આ યોગમા પૂજા કરવાથી મહિલાઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
કરવા ચોથના દિવસે ચંદ્ન ન દેખાય તો પૂજા કરવા માટે કરો આ ઉપાય
જો કરવા ચોથના દિવસે આકાશમાં ચંદ્ર ન દેખાતો હોઇ તો મહિલાઓ ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન ચંદ્રને જાઇને પૂજા કરી શકે છે. તેમજ પૂજા બાદ ઉપવાસ તોડી શકે છે. આ સાથે મંદિરમાં જઇને પણ ઉપવાસ તોડી શકે છે. જો આકાશમાં ચંદ્ર ન દેખાતો હોય તો તમે ચોખાથી બનેલા ચંદ્રને બનાવીને વિધિ-વિધાનથી પૂજા કરીને ઉપવાસ તોડી શકો છો. આ માટે તમારે પૂજાના મંચ પર ચંદ્ર ઉદયની દિશા તરફ મુખ રાખીને લાલ રંગનું કપડું ફેલાવવાનું છે. આ પછી, ચોખા સાથે ચંદ્રનો આકાર બનાવો. આ સમય દરમિયાન તમારે ઓમ ચતુર્થ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. અસ્ત થતા ચંદ્રને આહ્વાન કરો અને પછી પૂજા કરીને ઉપવાસ તોડો, પારણાં કરો.