"અંતિમ વિસામા" માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે ભાવનગર ના ભરતભાઈ મોણપરા અને તેમના સાથી મિત્રો બિનવારસી લાશ ને વિધિવત ક્રિયાકર્મ કરે છે .
કોણ કહે છે કે માનવતા મારી પરવારી છે ભાવનગરના ભરતભાઈ મોણપરા આજ દિન સુધી ૭૫ જેટલી બિનવારસી મૃતદેહો ને અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે , ભાવનગર જિલ્લા કે આસપાસ ના જિલ્લામાં પોલીસ ને કોઈ બિનવારસી લાશ મળે એટલે તેઓ ભરતભાઈને સંપર્ક કરતા હોય છે . પોલીસ ની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભરતભાઈ મોણપરા , યોગેશભાઈ અને તેમના સાથી મિત્રો મૃતદેહ ને સ્મશાને લઈ જાય છે , ફૂલહાર કરે છે , અને ચીતા ઉપર લઈને મૃતદેહનો વિધિવત અગ્નિસંસ્કાર કરે છે . અત્યાર સુધી ૭૫ થી વધુ બિનવારસી મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરી ચૂક્યા છે . કોરોના સમય ની વાત જણાવતાં ભરતભાઈ એ કહ્યું કે તે સમયમાં ૫૦ થી વધુના મૃતદેહો ને તેમણે અગ્નિદાહ આપ્યો હતો .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प