सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દિલ્હી સરકારની નવી કેબિનેટની તસવીર સ્પષ્ટ, આ 5 મંત્રીઓ આતિશી સાથે લેશે શપથ

21 સપ્ટેમ્બરે આતિશી સહિતના મંત્રીઓ લઇ શકે છે સપથ

Jashu Bhai Solanki
  • Sep 19 2024 2:19PM

મળતી માહિતી મુજબ આતિશીની સાથે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. મુકેશ અહલાવતે પણ કેબીનેટ મંત્રીમંડળના શપથ લેશે.

દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને આતિશી દ્વારા નવી સરકાર બનાવવા અંગેનો પત્ર રાષ્ટ્રપતિને મોકલ્યો છે.

વધુમાં જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ આતિશીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ઉપરાજ્યપાલે નવી સરકારના શપથ ગ્રહણ માટે 21 સપ્ટેમ્બરની તારીખનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે લિકર કૌભાંડમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામાની જાહેરાત કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે હવે તેઓ જનતાની અદાલતમાં જશે અને જ્યાં સુધી તેનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ સી.એમ.ની ખુરશી પર નહીં બેસશે. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार