નડિયાદ નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
આ કાર્યક્રમમાં બારમાસી, કરણ, ગુલમહોર સહિત 20 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા
આજે 05, જૂન 2024 અન્વયે વિશ્વભરમાં “અવર લેન્ડ, અવર ફ્યુચર” ના નારા સાથે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકા દ્વારા બેન્ક ઓફ બરોડા, કોકરણ મંદિર શાખાનાં સહયોગથી દાવલીયાપુરા ખાતે આવેલ અક્ષરબાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. જેમા બારમાસી, કરણ, ગુલમહોર સહિત 20 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આ પ્રંસગે નગરપાલિકા ચીફ ઓફીસર રૂદ્રેશ હૂદડ, કોકરણ મંદિર શાખા, બેન્ક ઓફ બરોડાનાં અધિકારીઓ, કર્મચારીઓ અને વૃક્ષપ્રેમી નગરજનો સહિત 50 જેટલા લોકોએ કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प