ડાકોર પો.સ્ટે. ખાતે નવા ફોજદારી કાયદા અન્વયે ‘જાગૃતિ અભિયાન કાર્યક્રમ’ અંતર્ગત લોક દરબાર યોજાયો
કાર્યક્રમમાં ડાકોર પો.સ્ટે. વિસ્તારના વિવિધ ગામોના આશરે ૬૦ થી વધુ નાગરિકોઍ ભાગ લીધો
તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ નવા ત્રણ કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે હેતુથી અત્રેના ડાકોર પો.સ્ટે. ખાતે ‘જાગૃતિ અભિયાન કાર્યક્રમ’’ નું આયોજન કરવામાં આવેલ હતુ. જે કાર્યક્રમમાં ડાકોર પો.સ્ટે. વિસ્તારના વિવિધ ગામોના આશરે ૬૦ થી વધુ નાગરિકોઍ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન નાગરિકોને તા. ૦૧/૦૭/૨૦૨૪ થી અમલમાં આવતા નવા કાયદાની પો.ઇન્સ. વી.ડી. મંડોરા ડાકોર પો.સ્ટે. નાઓ દ્વારા સમજણ આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત ગેરકાયદેસર રીતે નાણા ધિરધારની પ્રવૃતિ ઉપર પણ પો.ઇન્સ. વી.ડી. મંડોરા ડાકોર પો.સ્ટે. નાઓ દ્વારા પ્રકાશ પાડવામાં આવેલ હતુ. આ ઉપરાંત આગામી તા. ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ ડાકોર ખાતે રથયાત્રા નિકળનાર હોય આ રથયાત્રા શાંતીપુર્વક પુર્ણ થાય તે બાબતે ખાસ સુચના આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત નાગરિકો તરફથી કોઇ પ્રશ્ન હોય તો તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. આ સાથે કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વીડીયો સામેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प