પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ભુજ વચ્ચે શરુ થતી વંદે મેટ્રોનું ઉદ્ધાટન કરશે તેમજ અન્ય મેટ્રો ટ્રેનનું પણ વર્ચ્યુલી રીતે ઉદ્ધાટન કરશે. અત્યંત આધુનિક અને સમયસર મુસાફરી કરનારી આ ટ્રેન લોકો માટે ખુબજ ઉપયોગી થશે. અને ટીકીટનો દર પણ ન્યુનતમ હોવાથી દરેક લોકો સરળતાથી મુસાફરી રકી શકશે.
પી.એમ. નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન થયાના થોડા સમય પહેલા રેલવે વિભાગ દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું હતું. આ નમો ભારત રૈપિડ રેલ ગુજરાતના અમદાવાદથી ભુજ વચ્ચે 5 કલાક 45 મિનીટમાં કુલ 359 કિમીની સફર કરશે.
પશ્વિમ રેલવે અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ “નમો ભારત રૈપિડ રેલ” ભુજથી સવારે 05.05 કલાકે ઉપડશે અને 10.50 કલાકે અમદાવાદ જંક્શન પર પહોશચે. 17 સપ્ટેમ્બરથી નિયમીત સેવા ચાલુ થશે તેમજ પુરી યાત્રા કરવા માટે 455 રુપિયા ટીકીટ દર રાખવામાં આવેલ છે.
નમો ભારત રૈપિડ રેલ અમદાવાદથી ભુજ વચ્ચે કુલ 9 સ્ટેશનો પર હોલ્ટ કરશે, તેમજ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધા વાળી નમો ભારત રેપિડ રેલમાં કુલ 12 ડબ્બા હશે અને એક સાથે 1150 યાત્રઓ મુસાફરી કરી શકશે