નવસારીમાં વેકેશન શરૂ થતા જ બાળકો અને યુવાનો સ્વિમિંગ તરફ વળ્યા
મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી અલગથી લેડીસ બેચની પણ સુવિધા
શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ બાળકો વેકેશનમાં સ્વિમિંગ તરફ વળતા જોવા મળી રહ્યા છે. મનપા સંચાલિત સ્વામીવિવેકાનંદ તરણકુંડમાં વેકેશન દરમિયાન સંખ્યા 800 જેટલી થઈ જવા પામે છે. બાળકો, યુવાનોની સાથે માતાપિતા પણ તરણકુંડમાં સ્વિમિંગ શીખવા આવતા જોવા મળી રહ્યાં છે. દિવસ દરમિયાન કુલ 8 બેચ ચાલે છે, જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ અલગ બેચની સુવિધા પણ છે. આ ઊપરાંત ખાસ દરેક સ્વિમર પર ધ્યાન રાખવામાં આવે છે. જેને લઈને આજદિન સુધી કોઈપણ અણબનાવ બન્યો નથી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प