ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રી રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત — ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ! નર્મદે હર
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા નર્મદા પદયાત્રામાં સેવા આપતા કાર્યકર્તાઓની મુલાકાત ભાજપ નર્મદા જિલ્લા દ્વારા આયોજીત મેડિકલ અને અલ્પાહાર સેવા કેમ્પોમાં શ્રદ્ધાળુઓને મળી આપી શુભેચ્છાઓ.
ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તાજું અલ્પાહાર અને સલામત નાવડી વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી એ આ સેવાના કાર્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પદયાત્રાના માર્ગમાં આવેલા સેવાકેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ કેમ્પ અને નાવડી સેવા સંભાળતા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરીની સરાહના કરી હતી.
રત્નાકરજીએ યાત્રાળુઓને સેવા આપી પદયાત્રાનું શુભારંભ અનુભવી ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ વસાવા
જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે અને નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓની નિષ્ઠા તથા સમર્પણ ભાવના યાત્રાળુઓના હ્રદયમાં ભક્તિ સાથે આશ્વાસન પણ ભરી રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प