નવસારી ડેપોને ગોળીગઢ યાત્રા ફળી, એક જ દિવસમાં 5.40 લાખની આવક થઈ
સવારથી રાત સુધી આવવા જવા માટે 252 ટ્રીપ દોડાવાઈ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે રવિવારના રોજ ગોળીગઢ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોળીગઢ બાપુના દર્શન કરવા બધા ગ્રહણ કરવા અને ઉતારવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવસારીથી વાંસકુઈ જવા નીકળી ગયા હતા. દર વર્ષે હોળી પહેલા રવિવારે યોજાતા મેળામાં નવસારીથી પણ મોટી સંખ્યામાં લોકો જતા હોય નવસારી ડેપોએ વિશેષ આયોજન કર્યું હતું. જેનું ફળ નવસારી ડેપોને પ્રાપ્ત થયું છે.
રવિવારે નવસારી ડેપો દ્વારા સવારથી રાત સુધી કુલ 252 આવવા જવા માટે ટ્રીપ દોડાવી હતી. જેનો લાભ આશરે 15000 લોકોએ લીધો હતો. આ સાથે જ નવસારી ડેપોને એક જ દિવસમાં 5.40 લાખની આવક થઈ છે. જે ખૂબ સારી વાત કહી શકાય.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प