સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું.
આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક પ્રવાસ સ્થળ જેવું સ્થળનું નિર્માણ થયું. કઠલાલ જનતાને તો લાભ મળશે જ પરંતુ પશુ પક્ષી તે પણ એ જળની અનુભૂતિ કરશે.
આ પ્રસંગે કઠલાલ કપડવંજ ના 120 વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તથા, કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, કઠલાલ પ્રભારી સેજલબેન બ્રહ્મભટ્ટ, જિલ્લા મંત્રી શીતલબેન, કઠલાલ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ, સૌ કાઉન્સીલરશ્રીઓ, ચીફ ઓફિસર ઉર્મિલાબેન ઉપસ્થિત રહ્યા.