सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવસારીમાં પહેલગામની ઘટનાને લઈને લોકોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ રોષ ઠાલવ્યો

રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું

સુદર્શન ટીમ
  • Apr 24 2025 10:53AM
પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમાં આ ઘટનાને પગલે આતંકવાદીઓના ગઢ એવા પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીના પૂતળા દહન કરાયા હતા.

પહેલગામની આતંકી ઘટનાને પગલે નવસારીમાં માર્ગો પર પાકિસ્તાનનો ઝંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું હતું. જેના પર લોકો ચાલીને તથા પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યાં છે. આ સાથે જ આવતા જતા લોકો તેના પર ચંપલ મારીને થૂંકી પણ રહ્યા છે. તો શહેરના શહીદ ચોક ખાતે લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને પાકિસ્તાન તથા આતંકવાદના પૂતળાનું દહન કરી નારા લગાવી રોષ ઠાલવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार