सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જનજાતિ નર્મદા કલ્યાણ આશ્રમ દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત  DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઇનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે યોગ્ય રીતે વાપરવા અને પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે કલેક્ટરને આવેદન.

શૈશવ રાવ
  • Sep 10 2024 7:14PM

આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે કાર્યરત 'જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત'   જે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રમાં કામ કરતા વિશ્વના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનું ગુજરાત એકમ છે તે માંગણી કરે છે
કે, 
1. ભારતના 70% ખનીજ ખનન ક્ષેત્ર જે જનજાતિ ક્ષેત્રમાં આવેલ છે જેમાં મોટાભાગે જનજાતિ સમાજ અને દેશનો ગરીબ વર્ગ  વસવાટ કરી રહ્યો છે. તેના ખનન પ્રભાવિત વિસ્તારમાં ત્યાંના લોકો માટે  ભારત સરકારે બનાવેલ  અને ખનીજ વિકાસ અને વ્યવસ્થાપન (MMDR)ના અધિનિયમ 2015- માં  થયેલ સંશોધન મુજબની ધારા 9- બ મુજબ નિર્માણ થયેલ બિનસરકારી સંસ્થા DMF ને અત્યાર સુધી ફળવાયેલ અંદાજીત 75 હજાર કરોડ રૂપિયા માંથી ગુજરાત માટેના અંદાજીત બજેટ 1400 કરોડ રૂપિયાનું ફંડ  સ્થાનિક ખનન પ્રભાવિત સમુદાય અને ત્યાંના ક્ષેત્ર માટે જ વાપરવામાં આવે. 

2. DMF એક નોન પ્રોફિટ અને બિન સરકારી સંસ્થા  છે તે છતાં પણ તેમાં દેશથી લઈ રાજ્ય અને જિલ્લા સ્તર પર કોઈપણ પ્રકારના જન પ્રતિનિધિ કે સામાજિક નેતૃત્વનું પ્રતિનિધિત્વ નથી રખાયું.  ઉપરાંત જે ખનીજ ક્ષેત્ર માં ખનન થઈ રહ્યું છે તે  વિસ્તારના લોકો કે ગ્રામ જેનો ભોગ બની રહ્યું છે તેનું પણ કોઈ પ્રતિનિધિત્વ નથી. તો આ મોટી રકમની ગ્રાન્ટ વાપરવા ની આ સંસ્થામાં  દરેક સ્તરે યોગ્ય જન પ્રતિનિધિની ભૂમિકા સુનિશ્ચિત કરવામાં આવે . 

3. ખનીજ ક્ષેત્ર વિસ્તારમાં 70% થી વધુ વિસ્તાર એ PESA ક્ષેત્રમાં આવે છે જ્યાં ભારત સરકાર દ્વારા PESA કાનૂન લાગુ છે.  તેનું પણ જાહેરમાં ઉલંઘન થઈ રહ્યું છે. તો એ સંદર્ભે યોગ્ય પગલાં લેવામાં આવે .

આ અંગે રાજ્યપાલશ્રી ને સૂચિત કરવા જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ખનન પ્રભાવિત જનજાતિ જિલ્લાઓમાં આજે  જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર આપી  ઉપરોક્ત માંગણીઓ રજૂ કરવામાં આવી છે . 

જો DMF દ્વારા વપરાતી ગ્રાન્ટનો ઉપયોગ માઇનિંગ નો ભોગ બનનાર વ્યક્તિ ગ્રામ કે વિસ્તારના લોકો સુધી યોગ્ય પ્રમાણમાં  નહીં પહોંચે  અને DMF દ્વારા થતી કામગીરી માં આગામી દિવસોમાં પારદર્શકતા લાવવામાં ન આવે તથા આવેદનપત્ર દ્વારા આપવામાં આવેલ મુદ્દાઓમાં સરકાર શ્રી દ્વારા કોઈ ઠોસ પગલા લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ગ્રામ સ્તરથી લઈ ને રાજ્ય સ્તર સુધી મોટા પ્રમાણમાં રેલી અને ધરણા પ્રદર્શન જેવા કાર્યક્રમ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार