આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનની રકમ અડવાન્સ ચૂકવણી કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત પેન્શનધારકોને આગામી દિવાળીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખરેખર અ વખતે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળતા મસિક પગાર તેમજ પેન્શન ધારકોને પેન્શનની રકમ એડવાન્સ ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.
વધુમાં જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે પણ કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે.