ડેડુવા ગામે કામગીરીમાં અડચણરૂપ બનતા શખ્સો સામે પોલીસ મથકે કરાઈ લેખિત ફરિયાદ
થરાદ તાલુકાના ડેડુવા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ-૨ અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી હોઈ સરકારી કામગીરીમાં દખલગીરી ઊભી કરી ગરીબ લાભાર્થીઓનુ સર્વે ન કરવા દેતા પાંચ શખ્સો સામે ડેડુવા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી માધાભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ લેખિતમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.