सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પુણ્ય શ્લોક અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાપમંચનનું આયોજન.

300 વર્ષ પછી પણ જેનું શાસન લોકોને પ્રેરણા આપી રહ્યું છે એવા મહિલા સુશાસક એટલે અહલ્યાદેવી

સુદર્શન ટીમ
  • Mar 25 2025 6:12PM

વીરાંગના અહિલ્યાદેવી હોળકરની 300મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય, કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025ના રોજ  લોકમાતા નાટક નું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમની પ્રેસનોટ અને ફોટોગ્રાફ્સ આ સાથે સંલગ્ન છે.

"લોકમાતા' નાટક: ઈતિહાસની પ્રેરણાથી આવનારા ભવિષ્યના માર્ગદર્શન સુધી...

ઈતિહાસ એ માત્ર ભૂતકાળની ગાથાઓ નથી, પણ ભવિષ્ય માટે માર્ગદર્શન પણ છે.

સમાન્યથી અસામાન્ય બનેલી વિરાંગના અહિલ્યાદેવી હોળકરની 300 મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ -પાસ દ્વારા 22, 23 માર્ચ 2025 ના રોજ લોકમાતા નાટકનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. એચ કે કૉલેજના સભાગૃહમાં આ નાટકના 4 શો પ્રસ્તુત થયા, જે નિહાળવા કલા ગુરુ સ્મિતા શાસ્ત્રી જેવા કલાકારો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ગુજરાતના સેવાકીય ક્ષેત્રે કામ કરતા 3000 થી વધુ લોકો આવ્યા

વિજ્ઞાન અને કલાનું અનોખું સમરસન 

આ નાટકની વિશેષતા એ હતી કે તેનું લેખન અને દિગ્દર્શન ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) ના વૈજ્ઞાનિક નંદિની દેશપાંડે અને ડો. ધવલ વર્તક કર્યું હતું, જ્યારે પ્રસ્તુતિ કરનારા તમામ કલાકારો પોતાના ક્ષેત્રમાં શિખર પર કાર્યરત છે. આ પ્રયોગ એ સાબિત કરે છે કે વિજ્ઞાન અને કલા સાથે મળે ત્યારે એ માત્ર મનોરંજન પૂરતું જ સીમિત રહેતું નથી, પણ સમાજ માટે પ્રેરણાનું મજબૂત માધ્યમ બની શકે છે.

અહિલ્યા દેવી: ભવિષ્ય માટે પણ પ્રેરણારૂપ-

નાટકમાં માત્ર તેમના શૌર્ય અને રાજકીય દૃષ્ટિની જ વાત નહીં, પણ આજના યુગમાં પણ એક સ્ત્રી કેવા રીતે લીડર બની શકે, સમાનતા, ન્યાય અને ધર્મનું પાલન કેવી રીતે કરી શકાય - તેવા પ્રશ્નોના જવાબ પણ રજૂ કરવામાં આવ્યા. અહિલ્યા દેવી ના આદર્શો આજે પણ સમાજ માટે સમકાલીન છે.

આજના યુગમાં જ્યારે નેતૃત્વ, નારીશક્તિ અને સંસ્કૃતિ જળવવાની જરૂરિયાત છે, ત્યારે આ નાટકે લોકોને વિચાર કરવા મજબૂર કર્યા અને આખી સભાગૃહ લોકમાતા ના જયઘોષ થી ગુજી ઉઠયો. નાટકના અંતે અનેક લોકોએ કહ્યું કે, "અહિલ્યાદેવી માત્ર ઇતિહાસના પાત્ર નથી. તેઓ આજના યુગ માટે પણ એક મજબૂત માર્ગદર્શક છે.

આ પ્રસંગે એ સાબિત થયું કે મહાનાયકોના જીવનમાંથી મેળવેલી પ્રેરણા અમર રહે છે. રાજમાતા અહિલ્પાએ જે રીતે ન્યાય, સખાવત અને તટસ્થતાથી સમાજ માટે કાર્ય કર્યું, તે આજની પેઢી માટે એક મજબૂત સંદેશ છે - "જો ઇચ્છાશક્તિ મજબૂત હોય, તો કોઈપણ યુગમાં એક સામાન્ય માણસ પણ અસામાન્ય કાર્ય કરી શકે છે .

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार