નડિયાદમાં પ્રશાસન તંત્ર દ્વારા વાણીયાવાડ સર્કલ ઉપર વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા
વાણિયાવાડ સર્કલ ઉપર સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને હવે ગરમી તાપથી થોડી રાહત મળશે
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તેવામાં નડિયાદ શહેરમાં પ્રશાસન તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં શહેરના મુખ્ય એવા વાણીયાવાડ સર્કલ પર ગરમીમાં તાપથી બચવા ડોમ ઉભા કરવામા આવ્યા છે, જેથી સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને આકરા તાપથી રક્ષણ અપાવી શકાય.
નોંધનીય છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં નાના બાળકો, સીનીયર સીટીઝન્સ બપોરના સમયે બહાર નિકળવાનુ ટાઢી રહ્યા છે, પરંતુ નોકરીયાત તથા ધંધાર્થીઓ કામ અર્થે આવનજાવન કરતા નજરે પડતા હોય છે, ત્યારે તેઓ માટે શહેરના વાણિયાવાડ સર્કલ પાસે સિગ્નલ ઉપર ઉભા રહેતા વાહનચાલકોને રાહત મળે તે માટે રાહત ડોમ ઉભા કરતા પ્રશાસન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प