કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ નિતા અંબાણી અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલી આપી, અંતિમ દર્શન કર્યા હતા. તેમની સાથે અભિનેતા રાજકારણીઓ સહિતના લોકોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે, તેમજ અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી રહી છે.
ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. રાજકારણીઓથી લઈને અભિનેતાઓ, ખેલાડીઓ અને સામાન્ય લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, રાજ ઠાકરેથી લઈને કુમાર મંગલમ બિરલા અને રવિ શાસ્ત્રીએ NCPA ગ્રાઉન્ડ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.