મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા કરી, પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી પંચકોશી નર્મદા પરિક્રમાના અવસરે સોમવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા-અર્ચના કરી હતી. તેમણે ગુજરાત અને દેશના નાગરિકોની સુખ-શાંતિ તથા વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી અને નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું.