નડિયાદમાં બીફોર નવરાત્રી યોજાઈ ખૈલેયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા
શ્રીજી પાર્ટી પ્લોટ ડુમરાલ ખાતે આયોજિત રાત્રિ બીફોર નવરાત્રીના આયોજન પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી શુભારંભ કરાવ્યો
3 ઓક્ટોબરથી મા જગદંબાના પવિત્ર પર્વ નવરાત્રીની ઉજવણી થનાર છે, હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરમાં સૌપ્રથમ વખત બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DDU કોલેજના વિદ્યાર્થીઓ મનમૂકીને ગરબે ઘૂમી આ પર્વને વધાવ્યો છે.
નડિયાદના નવરંગ ગ્રુપ DDU સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીજી પાર્ટી પ્લોટ ડુમરાલ ખાતે આયોજિત રાત્રિ બીફોર નવરાત્રી ના આયોજન પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરી માતાજીની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા હાજર રહ્યા હતા. સાથે શહેર ભાજપ પ્રમુખ તેજસભાઇ, IT મધ્ય ઝોન ઇન્ચાર્જ હર્ષિલભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प