લોકભારતી સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન
આગામી મંગળવારે 'દર્શક' જન્મતિથિ પ્રસંગે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર વ્યાખ્યાન આપશે. આગામી મંગળવારે 'દર્શક' જન્મતિથિ પ્રસંગે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક રતિલાલ બોરીસાગર 'દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન' વિષય ઉપર આપશે.
'દર્શક' જન્મતિથિ પ્રસંગે આગામી મંગળવાર તા.૧૫નાં યોજાયેલ આ વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થીઓનું સન્માન થશે. અહીં દોસ્તભાઈ બલોચ (સર્વોદય), રતિલાલ સુદાણી (જળ સંસાધન), પંકજભાઈ દવે (ગ્રમોત્થાન), તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં સન્માનિત થશે.
ઉલ્લેખનીય છે કે, આ વ્યાખ્યાન અને સન્માન કાર્યક્રમ અગાઉ ગુરુવાર તા.૨૯ ઓગસ્ટનાં રાખવામાં આવેલ પરંતુ તત્કાલીન ભારે વરસાદની પરિસ્થિતિના કારણે મુલતવી રહેલ જે આયોજન હવે આગામી મંગળવારે થયેલ છે, તેમ સંસ્થાનાં નિયામક હસમુખભાઈ દેવમુરારિ દ્વારા જણાવાયું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प