એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ
રતન તાતાનાં અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ
ઉદ્યોગપતિ અગ્રણી રતન તાતાના અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે.
રાષ્ટ્ર માટે ગૌરવ રહેલ તાતા પરિવાર તથા ઉધોગ પરિવાર દ્વારા વ્યવસાય પહેલાં દેશનું કલ્યાણ હંમેશા ઈચ્છયું છે. રતન તાતાનાં અવસાનથી
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી મકવાણા દ્વારા સંગઠન વતી શ્રદ્ધાંજલિ આપતાં એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું યોગદાન હંમેશા યાદ રહેશે તેમ ઉમેર્યું છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ અને સહ સંયોજક મૂકેશ પંડિતની યાદી મુજબ જિલ્લા ભાજપનાં હોદ્દેદારો ઉપપ્રમુખો હર્ષદભાઈ દવે, ઉમેશભાઈ મકવાણા, નાનુભાઈ ડાખરા, રાજુભાઈ બાબરિયા, ગાયત્રીબા સરવૈયા, જ્યોત્સનાબેન ભટ્ટ, નારુભાઈ ખમળ તથા જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ દિગ્વિજયસિંહ ગોહિલ, હંસાબેન પરમાર, નરેશભાઈ સોલંકી, મનહરભાઈ બલદાણિયા, હેતલબેન રાઠોડ, હીનાબેન ગઢાદરા, જલ્પાબેન હિંગુ તથા શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી જગદીશસિંહ ગોહિલ સાથે અભયસિંહ ચાવડા અને કાર્યકર્તાઓએ રતન તાતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प