પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લીધો લાભ
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે.
એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને સાધુ સંતોનાં સ્નાન સાથે શ્રદ્ધાળુઓ તો જોડાયાં જ છે, આ ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે.
અમૃત સ્નાનમાં સાધુ સાથે શ્વાન પણ સ્નાન કરે, તો કુંભક્ષેત્રમાં કોઈ સાધુ સાથે વાનર પણ યાત્રા કરે. અંહિયા હાથી અને સાધુઓ પણ છે, તો સ્નાન વેળાએ અને સુરક્ષામાં અશ્વો પણ છે.
વહેલી સવાર કે સાંજ સતત વિવિધ પંખીઓ પણ ગંગા યમુનાનાં વિશાળ વહેણ સાથે દર્શન લાભ સાથે વિચરણ કરતાં હોય તેમ લાગે.
સનાતન શાસ્ત્રોમાં આપણાં ભગવાન પણ પોતાનાં વાહન તરીકે પંખી અને પ્રાણી રાખે છે, ત્યારે આ કુંભમેળામાં સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प