ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
સ્થાનિક પોલીસે પરિવારજનોના આક્ષેપને લઈ તપાસ હાથ ધરી
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં શહેરના જવાહરનગર વિસ્તારમાં દારૂ પીવાથી ત્રણ વ્યક્તિઓની હાલત બગડતા તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તૈઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળતાં તેઓ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં લગાવવામાં આવેલ આક્ષેપોથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प