सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રતન ટાટા હતા ભારતના 'રતન', જાણો ક્યાં ક્યાં પુરસ્કારથી થયા હતા સન્માનિત તેમજ ક્યાં અભ્યાસ કર્યો હતો.

રતન ટાટાએ દેશમાં તેમની સરળતાની સાથે એક જુદીજ ઓળખ બનાવી હતી.

Jashu Bhai Solanki
  • Oct 10 2024 11:47AM
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.

જુઓ રતન ટાટાની કારકિર્દી

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી કર્યો હતો અભ્યાસ
મુંબઈ અને શિમલામાં અભ્યાસ કર્યા બાદ રતન ટાટાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. જે પછી તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. રતન ટાટા અમેરિકામાં કામ કરવા માંગતા હતા પરંતુ તેમની દાદીની તબિયતના કારણે તેમને ભારત આવવું પડ્યું. ભારતમાં તેમણે IBMમાં નોકરી શરૂ કરી હતી. એ સમયે ટાટા ગ્રૂપના ચેરમેન જેઆરડી ટાટાને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ નારાજ થયા. જેઆરડી ટાટાના કહેવા પર, તેમણે પોતાનો સીવી ટાટા ગ્રૂપમાં મોકલ્યો અને એક સામાન્ય કર્મચારી તરીકે ટાટા ગ્રૂપમાં તેમની કારકિર્દી શરૂ કરી હતી. જેમાં તોઓ ખૂબ જ સફળ ઉધ્યોગપતી સાબીત થયા. 31 માર્ચ, 2024 સુધીમાં ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ 365 બિલિયન ડોલર હતું. 

પદ્મ ભૂષણથી પદ્મ વિભૂષણ સુધીની સફર 

રતન ટાટાને વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2008માં તેમને બીજું શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મવિભૂષણ આપવામાં આવ્યું. આ ઉપરાંત, તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ઉદ્યોગ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રતન ટાટાની પ્રેરણાદાયી વાતો.

સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. એક એવી દૂનિયા જે ઝડપથી બદલી રહી છે, એકમાત્ર રણનીતિ જે તમને નિષ્ફળ થવાની ખાતરી આપે છે, તે છે જોખમ ન લેવું. 
સફળતા તમારા પદથી નથી માપવામાં આવતી, પરંતુ અન્ય પર તમારો પ્રભાવ કેવો છે તેનાથી માપવામાં આવે છે. સફળતાને તમારા માથા પર ચડવા ન દો અને નિષ્ફળતાને તમારા હૃદયમાં હાવી થવા ન દો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार