सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગઢડા(સ્વામીના) વિશ્વ પ્રસિદ્ધ BAPS મંદિરનો ૭૧ મો પાટોત્સવ ઉજવાયો

જલયાત્રા યોજી ઘેલા નદીના નીરથી વેદોક્ત પૂજન કરાયું

રાજુ બારૈયા
  • May 12 2022 11:55AM

ગઢડા(સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી ૨૦૦ વર્ષ પહેલા ગઢડામાં ૨૫- વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો કરી આ ભૂમિને તીર્થત્વ આપ્યું છે. એટલું જ નહી અહીં ઘેલા નદીના કિનારે સ્વહસ્તે માપ લઇને સુંદર મંદિર કરવાનો પણ સંકલ્પ કરેલો . એ સંકલ્પ મુજબ આજે ઘેલા નદીને કિનારે સુંદર નયનરમ્ય મંદિર નિર્માણ પામ્યું છે . જોતા જ આંખને ગમી જાય એવું સુંદર શિલ્પ સ્થાપત્ય , સુંદર નયનરમ્ય બાગ - બગીચા , આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન , ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક જીવા ખાચરનો દરબારગઢ , માણકી ઉપર અસવાર ભગવાન સ્વામિનારાયણની ૨૫’ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ ! આવા અનેક દર્શનીય સ્થાનોને લઈને સમગ્ર વિશ્વનાં ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે . આ મંદિરનો ૭૧ મો પાટોત્સવ તારીખ ૧૦ અને ૧૧ મે દરમિયાન દરમિયાન ભવ્યતાથી યોજાયો હતો.

જેમાં તા .૧૦ ના રોજ કળશ યાત્રાનું આયોજન થયું હતું . જે માટે ઘેલા નદીના પવિત્ર જળનું વેદોક્ત વિધિથી પૂજન કરી કાવડ અને કળશમાં ભરી યાત્રા સ્વરૂપે મંદિરે લાવવામાં આવ્યું હતું . આ જલયાત્રા મંદિરના પ્રવેશદ્વાર આગળ આવેલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઉપસ્થિત સૌ ભક્તોએ સમૂહ આરતી ઉતારી ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું . આ સંદર્ભે રાત્રે પણ વિશિષ્ટ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તા. ૧૧ ના રોજ સવારે પાટોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા . વેદોક્ત વિધિપૂર્વક પાટોત્સવની વિધિ સંપન્ન કરી ઠાકોરજીને પંચામૃત તેમજ કેસરયુક્ત જળથી અભિષેક કરવામાં આવ્યો હતો . ત્યારબાદ વિવિધ વાનગીઓના અન્નકૂટ સાથે આરતી કરવામાં આવી હતી. આ પાટોત્સવ નિમિત્તે સભામાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પ.પૂ.ડૉક્ટર સ્વામી તેમજ સારંગપુર , ભાવનગર , સુરેન્દ્રનગર , લીંબડી , ભાદરા , અમરેલી વિગેરે મંદિરોથી સંતો તેમજ ગાંધીનગર પાસે આવેલ વાવોલ ગામના રામજીમંદિરના મહંત પૂ . મધુસુદનદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂ . સંતોના પ્રાસંગિક પ્રવચન બાદ પ.પૂ.ડૉક્ટર સ્વામીએ આશીર્વચનોનો લાભ આપ્યો હતો . આ સભામાં ગઢડા શહેરના સ્થાનિક અગ્રણીઓ તેમજ સમગ્ર સત્સંગમાંથી ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા . સભાના અંતમાં સૌએ પ.પૂ.ડૉક્ટર સ્વામીનાં સમીપ દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार