નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે નડિયાદની તમામ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાના સંતો-મહંતો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખાતે નડિયાદના પાંચ પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને "પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક" થી સન્માનીત કરવામાં આવ્યા હતા .
જેમાં ડી.ડી.યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડો.એચ.એમ.દેસાઈ, કીડની હોસ્પિટલ ના ટ્રસ્ટી ડો.મહેશભાઈ દેસાઈજી, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને SNV સ્કૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, મગનભાઇ એડન વાલા મહાગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. એસ.એન. ગુપ્તાજી, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ દાનવીર કિરણભાઈ પટેલ (સી.જે.કંપની) ને તેઓના યોગદાન અને સમાજ સેવા બદલ સન્માનિત કર્યા હતા.
સાથે સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર BAPS સંસ્થાના પ. પૂ. સંત જ્ઞાનવત્સલ સ્વામી અને નેહલ ગઢવી અને ડો. હાર્દિક યાજ્ઞિક દ્વારા ઉપસ્થિત સૌ સાથે પ્રેરણાદાયી સંવાદ કરી એક પ્રેરણાદાયી ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો.
આ પ્રેરક પ્રસંગ ની શોભા માં અભિવૃદ્ધિ માટે ચરોતર ના તમામ BAPS મંદીર ના કોઠારી સંતશ્રીઓ સહીત વિવિધ ધર્મસ્થાનોના આચાર્યોએ ઉપસ્થિત રહી આશિર્વાદ આપેલ હતા... સાથે સાથે નડિયાદ ની તમામ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થા ના સંતો-મહંતો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प