सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ માં દંપત્તિ તિજોરીમાંથી ૯૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ

નડિયાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી

યેશા શાહ
  • Mar 24 2025 2:23PM

નડિયાદ ના વચ્છેવાડમાં રહેતા એક દંપત્તિએ તિજોરીનું લોક તોડીને અંદરથી સોના-ચાંદીના ચાંદીના વગેરે મળીને કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરીને લઈ જતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

ફરિયાદી ભૃગીષાબેન અશોકભાઈ પટેલ નડીઆદ શહેરના વચ્છેવાડ રાણા ચોકમાં આવેલા ભીખાભાઈ પટેનલા મકાનના બીજા માળે પુત્ર સાથે ભાડેથી રહે છે. નીચેના માળે મનિષાબેન રમેશભાઈ રાણા પતિ રમેશભાઈ, માતા ભાવનાબેન રાણા સાથે રહે છે. ભૂગિયાબેનું ફ્રીજ તેમજ તિજોરી સીડી નાની હોવાને કારણે ઉપરના માળે લઈ જવાય તેમ ના હોય, મનિષાબેનની ઓસરીમાં મુક્યા હતા. તિજોરીના ડ્રોવરો લોક કરીને ચાવીઓ તિજોરીમાં મુકી હતી જ્યારે મુખ્ય દરવાજાની ચાવી તેમની પાસે રાખી હતી. ત્યારબાદ તારીખ ૨૩-૧-૨૫ના રોજ કઠલાલ ખાતે રહેતા માતાની તબિયત સારી ના હોય, તેણી ત્યાં ગઈ હતી.

આ દરમ્યાન પોતાનો સામાન લેવા પરત નડીઆદ આવતા મનિષાબેન અને તેમના પતિ ઘર ખાલી કરીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી મનિષાબેનને ફોન કરતા તેઓ ચાવી આપીને જતા રહ્યા હતા. દરવાજો ખોલીને ઓસરીમાં જોતા જ તિજોરી ખુલ્લી હત અને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના આશરે ૯૦ હજારની કિંમતના ગાયબ હતા.જેથી મનિષાબેને પુછતાં તેણીએ હું કાઈ જાણતી નથી તેમ જણાવ્યું હતુ. પડોશમા પુછતા મનિષાબેને તિજોરી રિપેરીંગ કરવાવાળાને બોલાવ્યો હતો અને માણસ દરવાજો લઈ ગયો હોવાનું જણાવ્યું હતુ. જેથી આ દાગીના મનિષાબેન અને તેના પતિએ જ ચોર્યા હોવાનું માનીને નડીઆદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार