વિદેશ મંત્રી જયશંકરે ફરી એક વખત કેનેડાની સરકારની ટીકા કરી હતી. એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, કેનેડામાં સંદઠિત અપરાધનો મુદ્દો ઉઠાવનાર ભારતે સૌપ્રથમ સ્થાન મેળવ્યુ હતું. પરંતુ ત્યા લાંબા સમય સુધી આ મુદ્દાની અવગણના કરવામાં આવી હતી.
સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્રુડો સરકાર દ્વારા ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવવાની ટીકા કરી હતી. આ વિશે જયશંકરે કહ્યું કે કેનેડા સરકાર દ્વારા ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેનો ભારતે જવાબ આપ્યો છે.
તેમજ એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે કેનેડા સરકારે જે રીતે અમારા હાઇ કમિશ્નર અને રાજદ્વારીઓને નિશાન બનાવ્યા તેની અમે નિંદા કરીએ છીએ.
વિદેશ મંત્રીએ આગળ કહ્યું, મુદ્દો એ છે કે કેટલાક લોકો એવા છે જેમણે પોતાને એક મોટી રાજકીય શક્તિ બનાવી છે અને તે દેશની રાજનીતિ તે રાજકીય જૂથને અમુક અંશે એવી સ્થિતિ આપી રહી છે જે માત્ર આપણા સંબંધો માટે જ નુકસાનકારક નથી, પરંતુ હું એમ પણ કહીશ કે તે કેનેડા માટે પણ નુકસાનકારક છે.