મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર આજે એટલે કે 27 ઓક્ટોબરે નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 2 લોકોની હાલત ગંભીર થઇ છે. મળતી માહિતી મુજૂ ટ્રેનમાં ચડવાની ઉતાવળમાં નાચભાગ મચી હતી. ઘાયસ લોકોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેમની સારવાર ચાલી રહી છે.
અધિકારીના જણાવ્યા મુજબ ઘાયલોની ઓળખ શબ્બીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (27) તરીકે થઈ છે. 18), તેમની ઓળખ મોહમ્મદ શરીફ શેખ (25), ઈન્દરજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.
દિવાળીના તહેવારને પરિવાર સાથે અને માદરે વતનમાં મનાવવામા માટે લોકો તેમના વતનમાં જતાં હોવાથી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો થયો છે. હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટ્યાં છે.દિવાળી, છઠ પૂજામાં વતન જતા મુસાફરોની ભીડ જામી છે. ઉત્તર પ્રદેશ, બિહાર જતા મુસાફરોથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનના સમય કરતા 24 કલાક પહેલા મુસાફરો સ્ટેશન પહોંચી જાય છે. કલાકો પહેલા યાત્રિકો સ્ટેશન પહોચી જતાં હોવાથી પ્લેટફોર્મ પર ભારે ભીડ થઇ જાય છે. દિવાળીની રજા પડતા લોકો વતનની વાટ પકડતા હોવાથી રેલવે સ્ટેશન પર કિડીયારુ ઉભરાણું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.