ગુજરાત રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ધટાડવા માટેના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફઆર મુબજ વર્ગ મંજુરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે હવે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં પુર્ણ કરવાની રહેશે. ધોરણ 11 ના ક્રમિક વર્ગની માંગણી માટે શાળાઓ માટેનું એનઓસી જરુરી કરવામાં આવ્યું છે. તો 7 કિમીની ત્રિજ્યામાં સરકારી શાળા હોય તો શાળાનું એનઓસી મેળવ્યા પછી જ દરખાસ્ત કરી શકાશે.
વર્ગ વધારવા ઘટાડવામાં ફેરફાર
ખાનગી શાળાઓ બંધ કરવા સ્ટાફને છુટા કરવા માટે શાળા મંડળના બાંહેધારી ખાસ લેવી પડશે. જ્યારે ખાનગી શાળાઓના વર્ગ વધારવા તેમજ ઘટાડવા માટે સરકારી શાળાઓને અસર ન થાય તેની તકેદારી રાખવી પડશે. સરકારી શાળાઓના વર્ગોની સંખ્યાને એસર ન થાય તે માટે જિલ્લા શિક્ષ ણ અધિકારીએ ધ્યાન રાખવું પડશે.
ગુજરાતમાં શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ઘટાડવાના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે વર્ગ મંજૂરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. સાથે જ જો ખાનગી શાળા બંધ કરવા માટે સ્ટાફને છૂટા કરવા હશે તો શાળા મંડળની બાંહેધારી લેવી જરૂરી છે. મંજુરી વગર સ્ટાફને છૂટા નહીં કરી શકાય.
ઉપરાંત એ સુનિશ્ચિત કરવું પડશે કે જો ખાનગી શાળામાં વર્ગની સંખ્યા વધારવામાં આવે, તો એ દરમિયાન સરકારી શાળાનાં વર્ગોની સંખ્યાને અસર ન થવી જોઈએ. આ માટેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરજિયાત રાખવાની રહેશે.
ગુજરાતમાં શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ઘટાડવાના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે વર્ગ મંજૂરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. સાથે જ જો ખાનગી શાળા બંધ કરવા માટે સ્ટાફને છૂટા કરવા હશે તો શાળા મંડળની બાંહેધારી લેવી જરૂરી છે. એના અવિના સ્ટાફને છૂટા નહીં કરી શકાય.
ઉપરાંત એ સુનિશ્ચિત કરવું પડશે કે જો ખાનગી શાળામાં વર્ગની સંખ્યા વધારવામાં આવે, તો એ દરમિયાન સરકારી શાળાનાં વર્ગોની સંખ્યાને અસર ન થવી જોઈએ. આ માટેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ રાખવાની રહેશે.