ગુજરાત રાજ્યના 33 જિલ્લા પૈકી 7 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અમુક સ્થળ પર આજે પણ નુકસાનીના વરસાદની આગાહી છે... દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે નુકસાનીના વરસાદની શક્યતા છે.
સંધ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવો વરસાદ થઇ શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ છુટો છવાયો વરસાદની શક્યતાઓ છે. સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 142.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબક્યો છે 188.35 ટકા વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વરસ્યો 156.70 ટકા વરસાદ વરસ્યો છેદક્ષિણ ગુજરાતમાં આ સિઝનનો ખાબક્યો 148 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં આ સિઝનનો 134.91 ટકા અને ઉત્તર ગુજરાતમાં આ સિઝનનો 115.89 ટકા વરસાદ વરસ્યો છે.
માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ
જો કે 'દાના'ને લઈને દરિયો તોફાની રહેશે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સોમવારે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી. ચક્રવાતનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડ અને ODRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.