વિવાદના વમળમાં ક્ષત્રિય સમાજ , પદ્મિનીબા વાળાના ત્રાસથી રવીરાજસિંહ ગોહિલે જીવન ટૂંકાવવાની કોશિશ કરી
ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં અને વિવાદો ખુબ ચાલી રહ્યો છે , રાજકોટ સીટ થી લઈને ને સંકલન સમિતી ના પ્રમુખના વિવાદ સુધી ચર્ચાઈ રહી છે . ત્યારે પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં રવિરજસિંહ ગોહીલની ખોટી પોસ્ટ વાયરલ કરી હતી જેથી માનસિક ત્રાસ અનુભવતા ભાવનગરના રવિરજસિંહે આત્મહત્યા ની કોશિશ કરી હતી .
રવીરાજસિંહે સોશીયલ મીડીયા ગ્રુપમાં પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસ થી જીવન ટૂંકાવવાનો મેસેજ મૂકતા સગા વ્હાલા અને મિત્ર વર્તુળ તેમની સોધ ખોળમાં લાગી ગયા હતા , શોધખોળ દરમિયાન બોરતળાવ વિસ્તાર પાસે તેમની કારમાં ગંભીર હાલતમાં મળી આવતા રવિરાજસિંહ ને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા લાંબી સારવાર બાદ રવિરજસિંહ ભાનમાં આવ્યા હતા .
પોતાના ઈન્ટરવ્યુમાં રવિરાજસિંહે જણાવ્યું કે કોઈ દિગ્વિજયસિંહ ચુડાસમા પાસે થી મે ૧૨ લાખ રૂપિયા લીધા છે અને તેને પરત હું આપી નથી રહ્યો વાળો વિડિયો પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો છે જ્યારે હકીકત તો એ છે કે દિગ્વિજયસિંહ ચુડાસમા નામના વ્યક્તિ ને હું ઓલખતોજ નથી જેને લઈને લાગી આવતા અને સમાજમાં આબરૂ જશે વિચારી ને મે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતુ . વિધાનસભા ચૂંટણી સમયે રવિરાજસિંહે પોતાના સમાજના હિત માટે તળાજા યુવા મોરચાના મંત્રી પદ પરથી ભાજપમાં થી રાજીનામું આપી દીધું છે .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प