વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે થયો શુભારંભ
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે.
મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો જેટલાં ઘર પરિવારને વિનામૂલ્યે સૌર ઉર્જાનાં ઉત્પાદક ઉપકરણો લગાવવામાં આવી રહ્યાં છે.
કથા કે શાસ્ત્ર માત્ર સંકુચિતતા કે અંધશ્રધ્ધામાં ન ફેરવાય અને નવા આયામો સાથે સમાજમાં સનાતન હિતમાં પ્રસરતા રહે તેવો શ્રી મોરારિબાપુનો કાયમ સદ આગ્રહ રહ્યો છે, જેનો લાભ સૌને મળતો રહ્યો છે. આમ, રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ
બની રહ્યું છે.
લાઠી તથા સુરતમાં વ્યવસાય કરતાં ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા
( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો મોરારિબાપુનાં હસ્તે શુભારંભ થયો છે. આમ, સૂર્ય વંદના માત્ર પુસ્તકમાં ન રહે પરંતુ સૂર્ય કૃપા સૌને ફળે તે માટેનો સ્તુત્ય પ્રયાસ રાષ્ટ્ર માટે પણ પ્રેરણાદાયી છે અને અન્ય ઈંધણ કે ઊર્જા ઉપયોગનાં સ્થાને સૂર્ય અને અન્ય પ્રાકૃતિક ઊર્જાનો ઉપયોગ કરવાં પણ મોરારિબાપુએ અનુરોધ સંદેશ આપી અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે આ કાર્ય શુભારંભ કરાવેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प